
- “પાલનપુરમાં એક કિલો સોનું ગાયબ? જિજ્ઞેશ મેવાણીના આરોપ બાદ પીઆઈની રહસ્યમય બદલી”
- “પાલનપુરમાં સોનાની ચોરીનો આરોપ: પોલીસ અધિકારીની બદલીએ ઉઠાવ્યા સવાલ”
- “જિજ્ઞેશ મેવાણીનો પોલીસ પર આક્ષેપ: સોનું ગાયબ, પીઆઈની બદલી શું સૂચવે?”
- “પાલનપુર પોલીસ પર સોનું ગાયબ કરવાનો આરોપ, પીઆઈની એકાએક બદલી”
- “સોનાની ચોરીનો મામલો: મેવાણીના આરોપો બાદ પોલીસમાં ફેરફારનો ખેલ”
પાલનપુર: વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પાલનપુર પોલીસ પર અનેક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પાલનપુર શહેરમાં દારૂથી લઈને ડ્રગ્સના વેપલા થઇ રહ્યાના આરોપ મૂક્યા છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણી દ્વારા અન્ય એક ગંભીર આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે કે પાલનપુર પોલીસના એક અધિકારી દ્વારા એક કિલો સોનું ગાયબ કરી દેવામાં આવ્યું છે.
જિજ્ઞેશ મેવાણીએ કરેલા પોતાના આરોપોમાં સ્પષ્ટતા કરી નથી કે, આ એક કિલો સોનું ક્યા અધિકારી દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યું છે. પરંતુ પાલનપુર પોલીસ બેડામાં જિજ્ઞેશ મેવાણીના આરોપો પછી કેટલાક ફેરફારો થયા છે. તેવામાં કેટલાક પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યા છે.
જિજ્ઞેશ મેવાણીએ સીએમઓ ગુજરાતને ટેગ કરીને ટ્વિટ કરતાં લખ્યું છે કે, પાલનપુર શહેરના કોઈ પોલીસ કર્મચારીએ રાતના અંધારામાં એક કિલો સોનું પકડ્યું છે?
જો, હાં તો આ બાબતે કોઈ કેસ કોના કહેવાથી નોંધવામાં આવ્યો નથી? તે પછી સોનાનું શું થયું- હવામાં ઉડી ગયું શું? આ કેસના તપાસમાં પોલીસ ઈન્સ્પેક્ટર મારૂ અને ડિવાયએસપની શું ભૂમિકા રહી છે?
આ અંગે જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રીને સંબોધીને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવાની માંગણી કરી છે. આ ટ્વિટ પછી કેટલીક ક્રોનોલોજીને સમજવી જરૂરી બની છે.
મેવાણીના આરોપ પછી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ મારૂની એકાએક બદલી કરી દેવામાં આવી છે. તેમની પશ્ચિમ પોલીસ સ્ટેશનથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ બદલીના કારણે સોનું ગાયબ કરી દેવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. શું પીઆઈ મેરૂએ એક કિલો સોનું ગાયબ કરી દીધું છે? આ પ્રશ્નનો જવાબ તો એસપી અક્ષયરાજ ખુબ જ સારી રીતે આપી શકે તેમ છે. પરંતુ પોલીસ બેડામાં જ સોનાનો મુદ્દો ચકડોળે ચડ્યો છે.
પરંતુ હવે પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે, શું પીઆઈ મારૂએ સોનાનું બિસ્કીટ ગાયબ કર્યું હોવાના કારણે એકાએક બદલી કરવામાં આવી છે કે પછી અન્ય કોઈ બાબતને લઈને મારૂની બદલી કરી દેવામાં આવી છે? મેવાણીના નિવેદન પછી તરત જ લેવામાં આવેલી એક્શનની ક્રોનોલોજી પ્રમાણે પીઆઈ મેરૂની ભૂમિકા શંકાસ્પદ થઈ ઉઠી છે.
જોકે, આ અંગે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા સત્તાવાર રીતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે, મારૂને લિવ રિઝર્વમાં એસપી ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા છે. મારૂ સાથે અન્ય એક પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. પ્રકાશ ચૌધરીની હેડક્વોટર બદલી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, મેવાણીએ મારૂ અને ડિવાએસપીની ભૂમિકાને લઈને પોતાની ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે. તો મારૂએ સોના ગાયબ થવાના કેસમાં બેદરકારી દાખવી હોવાના કારણે બદલી કરવામાં આવી છે? કે પછી ચોકીદાર જ… હોવાના આક્ષેપ સાચા છે?
બનાસકાંઠા પોલીસ તરફથી સત્તાવાર રીતે મારૂની બદલી વિશે કોઈ જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી નથી. તો હાલમાં પીઆઈ મારૂ રજા ઉપર જતાં રહ્યાં છે.
હવે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે જિજ્ઞેશ મેવાણીના આરોપ પછી તરત જ કેમ મારૂની બદલી કરી દેવામાં આવી છે? શું મારૂએ જ સોનું ગાયબ કર્યું છે? જો સોનું મારૂએ જ ગાબય કર્યું છે તો માત્ર બદલી કરીને મુદ્દો દબાવી દેવામાં આવશે કે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવશે? જિજ્ઞેશ મેવાણીના આરોપો અને મારૂની એકાએક બદલીને લઈને એસપી અક્ષયરાજ મકવાણાએ અત્યાર સુધી કોઈ નિવેદન કે ખુલાસો કર્યો નથી.
મારૂની બદલીએ એક વખત ફરીથી સોનાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે એસપી અક્ષયરાજ મકવાણાએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જનતાને સત્ય જણાવવું જોઈએ. જેથી જનતાને લોકતંત્ર અને પોલીસ બેડા ઉપર વિશ્વાસ જળવાઈ રહે.
ઉલ્લેખનિય છે કે, સામાન્ય માણસ ડગલેને પગલે દંડાતો હોય છે તો નાની-મોટી ચોરીમાં વર્ષો સુધી જેલના સળીયા ગણતો હોય છે. તેવામાં એક કરોડ રૂપિયાની મૂલ્યનું સોનું ગાયબ કરી દેવાના ગંભીર આરોપમાં કોઈ પોલીસ કર્મચારી સામે ફોજદારી કાર્યવાહી થશે કે પછી પોલીસ કર્મચારી હોવાના કારણે બદલી જેવી નાની મોટી દંડનિય કાર્યવાહી કરીને છોડી મૂકવામાં આવશે?
શંકાસ્પદ સંદર્ભ અને પારદર્શિતાનો અભાવ: મેવાણીના આરોપોમાં સોનું ગાયબ થયાનું કથિત રીતે પોલીસ અધિકારી દ્વારા થયું હોવાનું જણાવાયું છે, પરંતુ કોઈ સ્પષ્ટ નામ કે પુરાવા રજૂ થયા નથી. પીઆઈ મારૂની બદલી આ આરોપો પછી તરત જ થઈ, જે શંકા ઉભી કરે છે કે શું આ બદલી આરોપોને દબાવવાનો પ્રયાસ છે કે રૂટિન વહીવટી નિર્ણય. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા સત્તાવાર ખુલાસો ન થયો હોવાથી પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.
પોલીસ બેડામાં જવાબદારીનો પ્રશ્ન: મેવાણીએ આરોપ લગાવ્યો છે કે સોનું પકડાયું હોવા છતાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જે પોલીસની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા કરે છે. જો આવું ગંભીર ગુનાહિત કૃત્ય થયું હોય, તો ફક્ત બદલીથી ઉકેલ ન આવે. આવા કેસમાં ફોજદારી તપાસ અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે, જેનો અભાવ અહીં જોવા મળે છે.
રાજકીય દબાણની શક્યતા: જિજ્ઞેશ મેવાણી, એક દલિત નેતા અને વડગામના ધારાસભ્ય તરીકે, ભાજપ સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. 2022માં તેમની ધરપકડ અને અન્ય કેસોમાં પોલીસની કાર્યવાહીને તેમણે રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. આ આરોપો અને તેના પછીની બદલી રાજકીય દબાણ અથવા વિવાદને શાંત કરવાના પ્રયાસનું પરિણામ હોઈ શકે.
જનતાના વિશ્વાસ પર અસર: એક કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગાયબ થવાનો આરોપ ગંભીર છે. જો આવા મુદ્દે માત્ર બદલી જેવી સપાટીની કાર્યવાહી થાય, તો તે પોલીસ વિભાગ અને લોકતંત્ર પર લોકોના વિશ્વાસને નબળો પાડી શકે. સામાન્ય નાગરિકો માટે નાની ચોરીમાં પણ કડક સજા થતી હોય, ત્યારે આવા ગંભીર આરોપોમાં પોલીસ અધિકારી સામે નરમ વલણ અપનાવવું ખોટો સંદેશ આપે છે.
બદલીનું સમયસર સંયોગ: મેવાણીના ટ્વિટ પછી તરત જ પીઆઈ મારૂની બદલી અને તેની સાથે પ્રકાશ ચૌધરીની બદલી શંકાસ્પદ સંયોગ દર્શાવે છે. આ બદલીનું કોઈ સત્તાવાર નોટિફિકેશન ન બહાર પડવું અને મારૂના રજા પર હોવાની માહિતી પોલીસ સૂત્રો દ્વારા મળવું રહસ્ય વધારે છે.
જોકે, સત્તાવાર ખુલાસાના અભાવે અને બદલીના સમયસર સંયોગને કારણે પીઆઈ મારૂની ભૂમિકા શંકાસ્પદ લાગે છે. આવા ગંભીર આરોપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જેમ કે મેવાણીએ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવાની માંગ કરી છે. એસપી અક્ષયરાજ મકવાણાએ સત્ય બહાર લાવવું જરૂરી છે, જેથી પોલીસની પ્રતિષ્ઠા અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. પીઆઈ મારૂની બદલી એકાએક કેમ કરવામાં આવી તે અંગે અક્ષયરાજ મકવાણાએ સ્પષ્ટતા કરવી જોઈએ. તેથી ખ્યાલ આવે કે સોના પ્રકરણ સાથે ક્યો પોલીસ અધિકારી જોડાયેલો છે. જો પોલીસ અધિક્ષક જ મગનું નામ મરી પાડે તો સોના પ્રકરણ સાથે મારૂને જોડવાની શંકા-કૂંશંકાઓ ઉભી થાય તે સ્વભાવિક છે.